કુલ પૃષ્ઠ અવલોકનો

ગુરુવાર, 29 નવેમ્બર, 2012

બાળ કથા ત્રણ - હનુમાનની વફાદારી


 
"દાદા, મને મેનેજરનો સ્પેલિંગ નથી આવડતો. કાયમ ભૂલ કરું છું. એમએએનઈજીઈઆર જ લખાય જાય છે," નરેન્દ્રએ દાદાનો ઝભ્ભો ખેંચતા કહ્યું. એનું મોંઢા પર અંગ્રેજી ક્યુ જેવો મોટો પ્રશ્નાર્થ વંચાતો હતો.
"વેરી સિમ્પલ, બોય. માનાગેર."
"એટલે?"
માનાગેર. એટલે એમએએનએજીઈઆર. ઉચ્ચાર બદલી નાંખવાનો યાદ રાખવા માટે. જેમ કે માથેમાટિક્સ."
"ગણિત?"
"યસ. લાઇકવાઇઝ માનાગેર. મેનેજર." દાદાએ નરેન્દ્રને ખોળામાં બેસાડીને કહ્યું, "તને ખબર છે? મેનેજર થવા માટે તમારી પાસે કમ્યુનિકેશનની ઉત્તમ સ્કિલ હોવી જોઇએ. હનુમાનજી પાસે આવી જ સ્કિલ હતી. મહર્ષિ વાલ્મીકિ કિષ્કિંધાકાંડના બીજા અને ત્રીજા અધ્યાયમાં રામ-હનુમાન મિલનનો પ્રસંગ આલેખે છે, ત્યારે લખે છે કે હનુમાનજી એક તાપસનું રૂપ ધારણ કરીને બંને ભાઈઓને મળે છે. તેમને પ્રસન્ન કરવા બજરંગબલી સુંદર સંવાદ કરે છે. પ્રથમ તો રામ-લખનના રૂપ અને ગુણની સુંદર પ્રશસ્તિ કરીને તેમના મન જીતી લે છે. પછી પોતાનો ખરો પરિચય આપે છે."
"તુલસીદાસે પણ રામ-હનુમાનના પ્રથમ મિલનને ભક્તિરસથી આલેખ્યું છે. પ્રથમ દર્શનથી રોમાંચિત થયેલા હનુમાનજી રામના ચરણોમાં ઢળી પડે છે. હનુમાનજીની વાણીથી પ્રસન્ન થયેલા રામચંદ્ર તેમના અનુજને કહે છે, "આ મહામનસ્વી વાનરરાજની ભાષા કેવી અદભૂત છે. અવશ્ય તેમણે વ્યાકરણશાસ્ત્રનો ઊંડો અભ્યાસ કર્યો હશે. તેમણે ટૂંકમાં પણ સચોટ રીતે પોતાની વાત કહી છે. વળી, તેમનો સ્વર ન ખૂબ ઉંચો કે નીચો છે. તેમણે મધ્યમ ગતિ અને સ્વરથી મધુર ભાષામાં હ્રદયને આનંદ આપતી વાતો કહી છે. કંઠષ હ્રદય અને મૂર્ધા એમ ત્રણેય સ્થાનોથી પ્રસ્ફૂટ થતા તેમના સુંદર અને સ્પષ્ટ ઉચ્ચારોથી તો તેમના શત્રુનું હ્રદય પણ જીતાય જાય તો નવાઈ શી"
"એક મીનીટ, દાદા. હનુમાનજી જેવી વફાદારી આજના જમાના ચાલે ખરી? તમે જ કહો છો, હવે હાયર એન્ડ ફાયરનો સમય આવી ગયો છે. તમને બીજી જગ્યાએ સારી સેલરીનું પેકેજ મળે તો જુની કંપનીને લાત મારી દેવાની, ખરું? આપણા ગુજરાતી છાપામાં જ એક પત્રકાર નવા અખબારમાં ચીફ એડિટરનો ઓર્ડર લઈ લીધો અને પછી જુના માલિકના પૈસે સ્વિટ્ઝર્લેન્ડ ફરી આવ્યા પછી જુના માલિકને રામ, રામ કહી દીધા. જો એ હનુમાનની જેમ એક જ અખબારમાં પડ્યા રહ્યા હોત તો આજે ગુજરાતના નંબર વન પત્રકાર બન્યા ના હોત."

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો